લાલુનો બફાટ: મુસ્લિમોને સંપૂર્ણ આરક્ષણ મળવું જોઈએ...
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan07052024_062037_Lalu 1.webp)
- 07 May, 2024
બિહારમાં ત્રીજા તબક્કાના મતદાન વચ્ચે આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવે મુસ્લિમોના આરક્ષણને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે આરક્ષણની વાત કહીને ચૂંટણીના માહોલને પોતાના પક્ષમાં કરવાની કોશિશ કરી છે. તેમણે કહ્યું કે મુસ્લિમોને આરક્ષણ મળવું જોઈએ.
લાલૂ યાદવે કહ્યું કે વોટ અમારી તરફ જઈ રહ્યો છે. બીજેપીવાળા ડરી ગયા છે લોકોને માત્ર ભડકાવી રહ્યાં છે. બીજેપીવાળા ભારતીય બંધારણને ખત્મ કરવા માંગે છે. લોકો બીજેપીને સમજી ગયા છે. આરક્ષણ મુસ્લિમોને મળવું જોઈએ.
લાલુ યાદવે આગળ કહ્યું કે ખૂબ જ સારું વોટિંગ થઈ રહ્યું છે. દરેક જગ્યાએ મોટી-મોટી લાઈનો લાગી છે. અમારા પક્ષમાં તમામ વોટિંગ થઈ રહ્યું છે. બીજેપીવાળા ભડકાવી રહ્યાં છે કારણ કે ડરી ગયા છે. આરક્ષણની જોગવાઈ છે. તેઓ તો લોકશાહી અને બંધારણને જ ખત્મ કરવા માગે છે. આ વાતને લોકો સમજી ગયા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ